આઝાદીકા અમૃત મહોત્સવના અંતિમ ચરણમાં મેરી મીટ્ટી-મેરા દેશની થીમ પર સમગ્ર દેશ સહીત છોટાઉદેપુર જિલ્લાકક્ષાએ મહિનામાં કાર્યક્રમો કરવામાં આવશે

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

જીલ્લા કક્ષાએ થનારા કાર્યક્રમમાં કલેકટરને નોડલ અધિકારી તરીકેની જવાબદારી સોંપાઈ

આઝાદીકા અમૃત મહોત્સવના વર્ષ પૂર્ણ થવાના અરે છે ત્યારે ક્લોસિંગ મંથ તરીકે ઓગષ્ટમાં આ વખતે “મેરી મીટ્ટી, મેરા દેશ” થીમ અને “મીટ્ટીને નમન વીરોને વદન” ટેગલાઈન હેઠળ ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં વિવિધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે આજે ચીફ સેક્રેટરીની એક વિડીઓ કોન્ફરન્સનું આયોજન જીલ્લા કલેકટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટર સુશ્રી સ્તુતિ ચારણ એસપી ધર્મેન્દ્ર શર્મા, અધિક નિવાસી કલેક્ટર કેડી ભગત, એસડીએમ મેત્રીદેવી, નાયબ કલેકટર અમિત ગામીત, ટીડીઓ, મામલતદાર વગેરે અધિકારીઓ આવીસીમાં જોડાયા હતા. ગત વર્ષે આ બેનર હેઠળ જુલાઈ૨૦૨૨ સુધીમાં ગુજરાતમાં ૬૦ હજાર જેટલા કાર્યક્રમ ૭૨ અઠવાડિયામાં યોજવામાં આવ્યા હતા. જે આ વર્ષે વધીને રાજ્ય કક્ષાએ ૧ લાખ ૮૬ હજાર સુધી થયેલ છે. ગુજરાત રાજ્યના કાર્યક્રમ ભારતભરમાં સૌથી વધારે નોંધાયા છે. આ વર્ષે ૯ મી ઓગષ્ટથી પંચાયત સારે, નગરપાલિકા મ્યુનિસિપલ કક્ષાએ જીલ્લા સારે, રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ એમ દરેક સ્ારે પાંચ પ્રકારની વિવિધપ્રવૃતિઓ હાથ ધરવાનું સુચન કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના રમતગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગને કરવામાં આવેલ છે. ગ્રામ્યકક્ષાએ ૨૫ લાખ પંચાયતોને આપ્રોગ્રામમાં સાંકળી લેવામાં આવશે જેમાં મુખ્યત્વે શહીદોને શ્રધાંજલિ, દેશભક્તિ થીમ મીટ્ટી યાત્રા જેવા કાર્યક્રમ કરવામાં આવનારા છે. જેમાં ગુજરાત માંથી દરેક તાલુકામાં એક એમ કૂલ ૨૪૮ માટીના ક્લેશ દિલ્હી કર્તવ્યપથ ખાતે રાજ્યના તમામ તાલુકાના એક યુવાન પ્રતિનિધિ સાથે મોકલવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here