આગામી ૧૦ ફેબ્રુઆરીના રોજ જવાહર નવોદય વિદ્યાલય ધોરણ-૯ અને ધોરણ-૧૧ માટે લેટરલ એન્ટ્રી સિલેક્શનની પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ યોજાશે

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામાં ૨ કેન્દ્રો ખાતે ઉમેદવારો પરીક્ષામાં બેસશે

વેજલપુર,જવાહર નવોદય વિદ્યાલય તરફથી પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા લિંક કરાઈ જાહેર

ભારત સરકાર સંચાલિત શિક્ષણ વિભાગ,જવાહર નવોદય વિદ્યાલય,વેજલપુર,જિલ્લો પંચમહાલ ખાતે આગામી તારીખ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪ શનિવારના રોજ ધોરણ ૯ અને ધોરણ ૧૧માં લેટરલ પ્રવેશ માટેની પરીક્ષા યોજાશે. આ “જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા – ૨૦૨૪” માટે અરજી કરેલ વિદ્યાર્થીઓના વાલી શિક્ષકો અને આચાર્યશ્રીઓને જણાવવાનું કે નીચે આપેલ લિંક પરથી આપ તે પરીક્ષા માટેનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશો. જેની લિન્ક નવોદય વિદ્યાલય સમિતિ અને શાળાની વેબ સાઇટ પર નીચે મુજબ છે. જેમાં ધોરણ-૯ માટે, https://cbseitms.nic.in/2023/nvsix/AdminCard/AdminCard.
તેમજ ધોરણ-૧૧ માટે https://cbseitms.nic.in/2023/nvsxi_11/AdminCard/AdminCard. છે.

પરીક્ષામાં બેસવા માટે પ્રવેશ પત્રની સાથે આધારકાર્ડ લાવવું ફરજિયાત છે. પરીક્ષા સ્થળે સવારે ૧૦:૩૦ કલાકે ઉમેદવારે પહોંચવાનું રહેશે.

પંચમહાલ જિલ્લામાં કુલ ૨ પરીક્ષા કેન્દ્રો ૧) જવાહર નવોદય વિદ્યાલય, વેજલપુર ૨) એકલવ્ય મોડેલ રએસઇડએન્સઇયલ સ્કૂલ, વેજલપુર ખાતે આ પરીક્ષાનું આયોજન કરાશે. જિલ્લાના જે ઉમેદવારોએ આ પરીક્ષામાં બેસવા માટે ઉમેદવારી નોંધાવી છે તે ઉમેદવારો માટે, ઉપરોક્ત સૂચનાને આચાર્યશ્રી જવાહર નવોદય વિદ્યાલય,વેજલપુર દ્વારા આ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here