અમદાવાદમાં વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે સર્વરો નિદાન કેમ્પ યોજાયો

અમદાવાદ, આરીફ દીવાન (મોરબી) :-

અમદાવાદ શહેર જિલ્લામાં પરિસ્થિતિને ધ્યાન રાખી સમયની સાથે સર્વે સમાજ ની સેવા કાર્ય કરતા જાણીતા અમદાવાદના લોક સેવક સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી વાર તહેવાર અને વિશેષ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ અંતર્ગત તંત્ર સાથે સંકલન કરી પ્રજાહિત કાર્યક્રમો કરવામાં તત્પર રહે છે ત્યારે અમદાવાદના સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી તાજેતરમાં જ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે 10 એપ્રિલના રોજ સર્વ રોગ નિદાન કેમ્પનો કાર્યક્રમ કરી વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી અંતર્ગત રાયખંડ સૈયદ વાડ માં સર્વે રોગ નિદાન અને સારવાર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન ને સફળ બનાવ્યું છે જેમાં સર્વ જ્ઞાતિના લોકોએ બાળ રોગ સ્ત્રી રોગ ચામડીના રોગ ઘૂંટણના દર્દો વિગેરે આશરે 100 જેટલા લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં સ્થાનિક કાર્યકરો આગેવાનો સહિત સરકારી હોમિયોપેથિક હોસ્પિટલના કર્મચારીઓ સરકારી કર્મચારીઓ સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમોમાં પ્રજાહિત કામગીરી મા સહભાગી બન્યા હતા જેમાં કાઉન્સિલ તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here