દે.બારીયા,(દાહોદ) તખત કુમાર2પટેલ :-
પંચમહાલના પેરિસ તરીકે ઓળખાતા દેવગઢબારીયા શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર રસ્તાના બાંધકામમાં થયેલ સંભવિત ભ્રષ્ટાચાર ની તપાસ કરી હલકી ગુણવત્તા વાળા રસ્તાના બાંધકામ માટે જવાબદાર ને સજા કરવામાં આવે અને નગરજનો ને પડતી તકલીફો ને ધ્યાને રાખી ને તાત્કાલિક અસરથી રસ્તા પર પડેલા ખાડાઓ નું સમારકામ કરવામાં આવે.તેમજ રસ્તા પરના ખાડાઓને લીધે સામાન્ય રાહદારીઓને પડતી મુશ્કેલીઓ માટે મે. પ્રાંત અધિકારી સાહેબ શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું. ત્યારબાદ દે.બારીઆ વોર્ડ નં. 1 માં હાલ ઘાટી ફળિયાને જોડતો રસ્તો નગર પાલિકા દ્વારા ડાબી બાજુ(એક ભાગ) બનાવેલ છે અને શોપિંગ સેન્ટર પાસે ખાડા નું પ્રમાણ વધુ હોવાથી ત્યાં પણ રસ્તો રિપેર કરવામાં આવે તે માટે દેવગઢ બારીઆ નગરપાલિકા ના ચીફ ઓફિસર સાહેબ શ્રીને આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું.