નર્મદા જિલ્લામાં દેડીયાપાડા ખાતે ૭૧માં વન મહોત્સવની થનારી જિલ્લાકક્ષાની ઉજવણી

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

તા. 7મી ના રોજ થનાર વન મહોત્સવની ઉજવણીમાં વિચરતી વિમુકત જાતી નિગમના ચેરમેન લક્ષમણ પટણી ઉપસ્થિત રહેશે

ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમના ચેરમેનશ્રી લક્ષ્મણભાઇ પટણીના અધ્યક્ષપદે તા.૭ મી ઓગષ્ટ, ૨૦૨૦ ને શુક્રવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે દેડીયાપાડા તાલુકાની આદર્શ નિવાસી શાળા ખાતે ૭૧માં વન મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે.

ભરૂચના સંસદસભ્ય શ્રી મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્યશ્રી પી.ડી.વસાવા, દેડીયાપાડાના ધારાસભ્યશ્રી મહેશભાઇ વસાવાના મુખ્ય મહેમાનપદે યોજાનારી જિલ્લા કક્ષાની વન મહોત્સવની આ ઉજવણીમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ, ભરૂચના સામાજિક વનીકરણ વર્તુળના વન સંરક્ષકશ્રી ડૉ.કે.શશીકુમાર અતિથિવિશેષપદે ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારી, નાયબ વન સંરક્ષકશ્રી નીરજ કુમાર અને શ્રી પ્રતિક પંડ્યા ઉપસ્થિત રહેશે, તેમ વન વિભાગ રાજપીપલા તરફથી જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here