પિતાએ રૂમનો દરવાજો ખોલતા દેખાયો પોતાની પુત્રીનો લટકતો મૃત દેહ

જામનગર
હિરેન ચૌહાણ

જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં એક નેપાળી પરિવારની માત્ર બાર વર્ષની પ્રગતિ પાર્ક શ્લોક બિલ્ડીંગમાં રહેતા એક નેપાળી પરિવારની બાર વર્ષની બાળાનું ગળાફાંસાથી મૃત્યુ નીપજ્યું છે જો આ બનાવ આપઘાતનો છે કે અકસ્માતનો એ સ્પષ્ટ થયું નથી પી.એમ. રિપોર્ટ બાદ હકીકતો સામે આવશે.

ખોડિયાર કોલોની વિસ્તારમાં પ્રગતિ પાર્કમાં રહેતી પૂજા કમલભાઇ સોની ઉ. ૧૨ નામની બાળાનો મૃત દેહ તેમના જ રૂમમાં લોખંડના સળિયા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો, ૧૦૮ની ટિમને જાણ કર્યા બાદ સીટી સી ડીવીજન પોલીસે સ્થળ પર પહોંચી મૃત દેહનો કબ્જો કર્યો હતો માત્ર બાર વર્ષની બાળાના શન્કા સ્પ્દ મૃત્યુને લઇને સીટી સી ડીવીજન પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી એ એસ આઈ ધારા જોશીના જણાવ્યા અનુસાર હાલનો બનાવ અકસ્માત નો લાગે છે પરંતુ પી.એમ. રિપોર્ટ બાદ સ્પર્સ્ટ થઇ શકે, છેલ્લા સાત વર્ષથી નેપાળી પરિવાર અહીં જામનગરમાં વસવાટ કરી રહ્યો છે અને ચોકીદારી કરતા કમલભાઈને સંતાનમા ત્રણ પુત્રી હોવાનું અને સૌથી મોટી પુત્રી મૃતક હોવાનું એ એસ આઈ જોશીએ જણાવ્યું હતું ધો ૬ માં અભ્યાસ કરતી બાળાના મૃત્યુને લઈને હાલ શહેરમાં પણ શોકનું મોજું પ્રસરી ગયું છે. પોલીસે મૃતકનો કબ્જો સાંભળી ફોરેન્સિક વિભાગમાં મોકલી આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here