અલંગ મરીન પોલીસ સ્ટેશનના પ્રોહીના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરિક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગ દર્શન હેઠળ

બાબરા(અમરેલી),
હિરેન ચૌહાણ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના શકદારો તથા ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ ની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.પો.કો.અરવિંદ ભાઇ બારૈયાને મીઠીવિરડી ગામ પાસે આવતા ખાનગીરાહે હકિકત મળેલ કે, અલંગ મરીન પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ન- ૨૪૮/૨૦૧૯ પ્રોહી કલમ- ૬૫એઇ,૧૧૬(બી),૮૧ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતો-ફરતો આરોપી તુલસી બીજલ ચૈાહાણ રહે. લાખણકા ગામ વાળો મીઠીવિરડી ગામના બસ સ્ટેશન સામેના ભાગે ઉભો છે. તેવી હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા ઉપર આવી તપાસ કરતા બાતમી વાળો ઇસમ મળી આવતા તેને પકડી લઇ તેનું નામ સરનામું પુછતા તુલશીભાઇ બીજલભાઇ ચૈાહાણ ઉવ.૨૫ રહે. લાખણકા ગામ રામદેવપીર મંદિર પાસે તા.ઘોઘા જી.ભાવનગર વાળો હોવાનુ જણાવેલ જેથી મજકુરની પુછપુરછ કરતા ઉપરોક્ત ગુનાના કામે તે નાસતો-ફરતો આરોપી હોય તેમ ગુનાની કબુલાત કરતા પોતે આ ગુનામાં સહ આરોપી હોય તેને પકડવાનો બાકી હોય તેમ જણાવેલ.જેથી મજકુર ઇસમ ઉપરોક્ત ગુનાના કામે CRPC કલમ ૪૧(૧) (આઇ) મુજબ ઘોરણસર કાર્યવાહી કરી અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી કરવા સોપી આપવા તજવીજ કરવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. રાજપાલસિંહ સરવૈયા તથા પો.કો. અરવિંદભાઇ બારૈયા તથા ડ્રા પો.કો. બ્રિજરાજસિંહ ગોહિલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here