હાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
હાલોલ તાલુકાના જાણીતા નવા ઢીંકવા ગામે હસમુખભાઈ માસ્તર સાહેબ ના ઘરે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ બાર બીજ ના ધણી એવા રામદેવજી મહારાજ નો પાઠ રાખવામાં આવ્યો હતો જેમાં વડોદરા થી સ્વામી અરવિંદદાસ મહારાજ અને કાકલપુર નિવાસી કાનસિંગ મહારાજ ના સાનિધ્ય માં જ્યોત પ્રકાશ કરાયો હતો સંતો નું સામૈયું કરી ફુલ તથા પુષ્પહાર થી સ્વાગત કર્યું હતું
આ કાર્યક્રમ માં ગામનાં ત્રણ ભજન મંડળ ઉપસ્થીત રહ્યા હતા સાથે જ ગુરૂજીઓ એ સ્વગત જ્ઞાનવાણી રૂપી સત્સંગ કરી ભક્તિમય બની જીવન નિર્વાહ માટે નો શુભ સંદેશ આપ્યો હતો આ તબક્કે દૂર દૂર થી આમંત્રિતો,મહેમાનો, શિક્ષક ગણ અને શિક્ષણ ના જીવ, જ્યોત ના દર્શન માટે હાજર રહ્યા હતા જેમાં પ્રવિણભાઈ વછેડી, વાકોડ થી સોમભાઈ, જોઝ થી ભૂપેન્દ્રભાઈ અને અમરસિંહ , ચંદુભાઈ ભગત કાંતિભાઈ વાવ બાકરોલ થી પધાર્યા હતા અંતે સૌ આરતી માં જોડાયા હતા અને થાળ નો પણ લહાવો લીધો હતો સમગ્ર કાર્યક્ર્મ નું સફળ સંચાલન કવિ વિજય વણકર અને દિલીપભાઈ ઢીંકવા એ કર્યું હતું.