કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
કાલોલ કેળવણી પ્રચારક મંડળના સ્થાપક માણેકલાલ મગનલાલ ગાંધી કે જેઓ પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી આ વિસ્તારની પ્રજાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને સંખ્યાબંધ આશ્રમશાળાઓ, સ્કૂલો તેમજ સહકારી સંસ્થા સ્થાપી હતી તેઓનો આજરોજ જન્મદિવસ હોય જન્મદિવસ નિમિત્તે કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત સી બી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ઇન્ચાર્જ આચાર્ય નારાયણભાઈ પટેલ તેમજ સમગ્ર સ્ટાફ અને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા માણેકલાલ ગાંધીની પ્રતિમાને ફુલહાર ચડાવી તેમની સેવાઓને યાદ કરી ઊજવણી કરવામાં આવી હતી.