મધવાસ ચોકડી પાસે ટ્રાફીકનો ભંગ કરતા બાઇક રીક્ષા ચાલકો સામે પોલીસની કાર્યવાહી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના મધવાસ પાસે હાઇવે ઉપર તેમજ ચોકડી ઉપર અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે તાજેતરમાં અમદાવાદના તથ્ય પટેલ ના બનાવ બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં ટ્રાફિક સતર્કતા કાર્યક્રમ અંતર્ગત પોલીસે અસરકારક કામગીરી હાથ ધરી છે જેના પરિણામે બુધવારે બપોર થી રાત્રી સુધીમાં કાલોલ પોલીસ દ્વારા ટ્રાફિકનો ભંગ કરી વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પુરઝડપે અને ગફલત ભરી રીતે પોતાનું વાહન હંકારનાર એક સીએનજી રીક્ષા ચાલક, તેમજ ત્રણ મોટરસાયકલ ચાલક જે પૈકી એક વાહન ચાલક પુરઝડપે રોંગ સાઈડે પોતાનું વાહન હંકારી આવતા જતા વાહનોને ભય ઉત્પન્ન કરે તે રીતે વાહન હકારતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી આ ઉપરાંત અન્ય બે મોટરસાયકલ ચાલકો સામે પણ ગફલત ભરી રીતે વાહન હંકારવા બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વધુમાં જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા પણ પૂર ઝડપે તેમ જ લાયસન્સ વિના વાહન હંકારનાર વાહન ચાલકો સામે અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here