પાવીજેતપુર, મુઝફ્ફર ધાબાવાલા :-
મળતી વિગતો મુજબ વડોદરા જિલ્લાના છુછાપુરા ગામ ખાતે આવેલ હઝરત ખ્વાજા જલ્દ નવાઝ (રે. અ) ની દરગાહ પર કોરોના કાળના બે વર્ષ બાદ આજ રોજ સંદલ ચઢાવવામા આવ્યું હતુ. જેમા દુર દરાજથી હિન્દુ મુસ્લિમ સમાજના અકીદતમંદ લોકો હાજર રહયા હતા. તથા મજાર પર ફુલ ચાદર ચઢાવી દુઆ માંગવામા આવી હતી. બાદ ફાતેહા ખ્વાની નીયાઝ તસકિમ કરવામા આવી. આવતી કાલે ઉર્ષ મુબારક મનાવવામા આવશે. જેને લઈને હાજરતના ખાદીમો સહિત આજુબાજુના લોકોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.