રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દી ઓ ની સારસંભાળ અને સ્વાસ્થય માટે કરાવાતી કસરત
રાજપીપલાની આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળના દરદીઓ માનસિક રીતે નબળા ન પડે અને તેમનું માનસિક મનોબળ ટકવાની સાથે તે વધુ મજબૂત બને તે માટે તેમને ફિઝીયોથેરાપી અને હળવી કસરત સાથે તેમનું કાઉન્સેલીંગ કરવામાં આવી રહ્યું છે.જેમાં પેટનાં બળથી દરદીઓને ઉંધા સુવડાવવામાં આવે છે .
દવાખાનામાં દાખલ કરવામાં આવેલ દર્દી ઓ ના મનોબળ વધારવા માટે તંત્ર દ્વારા હાથ ધરાઇ રહેલ આવી પ્રવૃતિઓ ખરેખર પ્રશંસા ને લાયક છે. કાંઇ નહી ” દેર સે હી આયે દુરુસત આયે “