મુખ્યમંત્રી સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના જીવન-કવનની ઝાંખી કરાવતો લેસર શો માણ્યો

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

ચિંતન શિબિરના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓએ એકતાનગર ખાતે સંધ્યા ટાણે સરદાર પટેલ સાહેબની વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના દર્શન કર્યા બાદ સરદાર સાહેબના જીવન-કવનની ઝાંખી કરાવતો લેસર શો માણ્યો હતો. જેમાં સરદાર સાહેબના જીવનગાથાને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ તેમજ પ્રોજેક્શન મેપીંગ લેસર-શો સમૂહમાં નિહાળ્યો હતો. શોના અંતે ઉપસ્થિત સૌ રાષ્ટ્રગાનમાં સહભાગી થયા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here