ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-
તા.04/10/2021 ના રોજ ભારતીય જનતા પક્ષ ગુજરાત પ્રદેશ ની સુચના મુજબ ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને વડોદરા જિલ્લા ભાજપા અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ ની નિગરાની હેઠળ ડભોઇ નગરના લઘુમતી મોરચા મંડળના પદાધિકારીઓની પસંદગી કરાઇ હતી જેમાં ઉપપ્રમુખ તરીકે ઈસ્માઈલ (સઈદ) સલીમભાઈ મન્સૂરી, સઈદભાઈ સબ્બીરભાઈ તાઈ લોખંડવાલા, વસીમભાઈ સલીમભાઈ ઘાંચી, રાજુભાઈ મન્સૂરી (તલાવપુરા) નિ વરણી કરાઇ હતી. જ્યારે મંત્રી તરીકે જમાલભાઈ કાલુભાઈ બાંબોજ વાળા ( jk), ઈમરાન ભાઈ મન્સૂરી (તલાવપુરા), અજીતભાઈ ઇબ્રાહીમભાઇ ભાગલ્યા, મોસીન મિયાજી ડાંગર ખાંડુ, અને કોષાધ્યક્ષ તરીકે મુસ્તાક હુસેન ઈસ્માઈલભાઈ માસ્ટર ની વરણી કરાઈ હતી. સાથે લઘુમતી મોરચા મંડળના કારોબારી સભ્ય માં સરફરાઝ ખાન એમ પઠાણ (જનતાનગર), સાકીબ હુસેન હાજીભાઇ ખિડકી વાલા, મહેફુજ હુસેન લાકડાવાલા, લાલભાઈ હસ્સુભાઈ ભઠયારા, મકબુલ હુસેન એ મકરાણી, ઉસ્માન સેઠ લોખંડવાલા, તોફિક સિકંદર ભાઈ મન્સૂરી, એજાજ ભાઈ મુસ્તાકભાઈ મલેક, હુસેનભાઇ હાજી ઈસ્માઈલ ભાઈ પટેલ તેમજ ઐયુબ ભાઈ ખલીફા ની નિમણૂક કરી ભારતીય જનતા પાર્ટી અને મુસ્લિમ સમાજને આગળ લાવવા શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે ઉપરોક્ત નિમણૂક થનાર પદાધિકારીઓએ પણ ભાજપના હોદ્દેદારો નો આભાર વ્યક્ત કર્યો હતો.