નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ કુરેશી :-
ગાંધીનગર ની ચુંટણીનુ રિઝલ્ટ આજે જાહેર થતા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરોમા ખુશી જોવા મળી છે ગાંધીનગર ખાતે મહાનગર પાલિકાની ચૂંટણીમા ભાજપે બાજી મારતા કાર્યકરોમા આનંદ જોવા મળ્યો હતો
ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણીમા ભારતીય જનતા પાર્ટીને ૪૪ બેઠક માંથી ૪૧ બેઠક મળી છે જેના કારણે નસવાડી ચારરસ્તા ખાતે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરોએ ફટાકડા ફોડી નારેબાજી કરી ખુશી વ્યકત કરી હતી.
ગાંધીનગરની મહાનગરપાલિકા ની ચૂંટણી મા ભારતીય જનતા પાર્ટી ની જીત થઈ છે અને ૪૪ બેઠક માંથી ૪૧ બેઠક ભા,જ,પ ને મળી છે અને ૨ કોંગ્રેસ ને મળી છે અને ૧ આપ ને મળી છે.
ભા,જ,પા ના જિલ્લા હામંત્રી જયરાજસિંહ ચૌહાણ દ્વારા વિરોધ પક્ષ ને આડે હાથે લેતા જણાવવામાં આવ્યું કે વિરોધ પક્ષ વાળા કહેતા હતા કે આ વખતે ભાજપ ના સુપડા સાફ થઈ જશે પણ ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણીમાં દેખાય આવ્યુ છે કે કોના સુપડા સાફ થયા છે.
વધારામાં એમને જણાવ્યું હતું કે અમારા પી,એચ કમિટીના પ્રણેતા સી,આર,પાટીલ સાહેબ ની અધ્યક્ષતામાં ૧૦ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માં પણ ખૂબ મોટી સિદ્ધિ હાંસલ કરી હતી અને એજ કમિટી દ્વારા આજે પણ ગાંધીનગર મહાનગર પાલિકા ની ચૂંટણી મા પણ વિજય હાંસલ કર્યો છે.
આમ આગામી ચૂંટણી માં પણ અમે ભારતીય જનતા પાર્ટી ને ખોબે ખોબે વોટ આપી અપાવી વિજય બનાવતા રહેશું એમ ભા,જ,પા ના કાર્યકરો દ્વારા અપીલ કરવામાં આવી હતી.