બનાસકાંઠા : ભીલડીની ગાયત્રી નગર સોસાયટીમાં રામલીલા યોજાઈ…

ભીલડી, (બનાસકાંઠા અંકુર ત્રિવેદી :-

આજના હાઈટેક જમાનામાં પણ લોકો પોતાના ની જુની પરંપરા આજે પણ નિભાવી રહ્યા છે જેમાં રામ-લક્ષણ,સીતા,હનુમાન, રાવણ,કુભકરણ જેવા પાત્રો ભજવીને લોકોનુ મનોરંજન પુરુ પાડુ હતું.

જેમાં છેલ્લા ઘણા વર્ષોથી લંકેશનું પાત્ર ભજવનાર અતુલભાઈ નાઇ એ લંકેશ નુ પાત્ર ભજુ હતું તેમજ મેધનાથ નુ પાત્ર રાજુભાઇ જોષી અને કુંભકરણ નુ પાત્ર મિત સાધુ અને રામ તરીકે પ્રકાશભાઈ શાહ અને લક્ષ્મણ તરીકે બળદેવભાઈ જોષી અને સીતા અને હનુમાનજી તરીકે નિતેષ લખવારા એ વેશભુષામાં સજ્જ બની રામલીલા યોજી હતી. તેમજ ભીલડી પોલીસ સ્ટાફ અને પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતા જેમા ગાયત્રી નગર સોસાયટી ના સભ્યો દ્રારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ રામલીલા જોવા માટે લોકો ઉપસ્થિત રહેલ અને લંકેશ નુ પાત્ર આકર્ષક નુ કેન્દ્ર બની રહેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here