તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ
વર્ષ 2014માં આસિફભાઇ ઐયુબભાઈ નામના ઈસમ વિરુદ્ધ પશુ અધિનિયમ મુજબ પશુઓની હેરાફેરી કરવા બદલ તિલકવાડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
મળતી માહિતી અનુસાર આસિફભાઇ આયુબભાઈ રહે ગોધરા વિરુદ્ધ વર્ષ 2014માં પશુ સંરક્ષણ અધિનિયમ ૨૦૧૧ ની કલમ 6(ખ) કલમ (8) તથા પશુ ક્રૂરતા અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧(L) તથા જી.પી એક્ટ કલમ 119 મુજબનો ગુનો તારીખ 24 11 2014 ના રોજ તિલકવાડા પોલીસ મથકે દાખલ થયો હતો જેના ગુનામાં સંડોવાયેલા આરોપી નામે આસિફભાઇ આયુબભાઈ છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો હોય જેને ગત રોજ ગોધરાથી ખાતેથી તિલકવાડાં પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે તિલકવાડાં પોલીસ દ્વારા આરોપીની અટક કરીને તિલકવાડા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.