શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-
આમ આદમી પાર્ટી પંજાબ કબજે કર્યા બાદ હવે ગુજરાત પર સીધી નજર લગાવીને બેઠી છે અને જેમ કે દિલ્હી પંજાબ એમ બે રાજ્યો બહુમત સાથે વિજય પ્રાપ્ત કર્યા છે તેમ હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ BJP નો ગઢ ગણાતો ગુજરાતમાં હવે પોતાનું વર્ચસ્વ વધારવા માટે આપ સમગ્ર ગુજરાતમાં પરિવર્તન યાત્રા લઈને ગુજરાતના તમામ તાલુકા જિલ્લાઓ અને ગામો સુધી પહોંચી રહી છે અને લોકોના વધુમાં વધુ સંપર્ક માં આવી રહી છે જેમાં આ પરિવર્તન યાત્રા પંચમહાલ જિલ્લા દરેક તાલુકામાં થઈ ને શહેરા નગરમાં આવી પહોંચતા રોડ શો કરવામાં આવ્યું હતું આ રોડ શો માં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુનભાઈ રાઠવા,જયેશભાઇ સગાડા પ્રદેશ સંગઠન મંત્રી ની તેમજ પંચમહાલ આમ આદમી પાર્ટી પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ સહીત હોદ્દેદારો હાજર રહ્યા હતા અને આ રોડ શો મરડેશ્વર મહાદેવ મંદિર થી અણીયાદ ચોકડી, સીધી ચોકડી, શહેરા બસ સ્ટેશન થી રેફરલ હોસ્પિટલ થઈ વાઘજીપુર ચોકડી એ આ પરિવર્તન યાત્રાને પૂણ કરી સતરોડ ગામની પરિવર્તન યાત્રા માટે ત્યારીઓ કરી હતી