ગોધરા,(પંચમહાલ)
ઇમરાન ખાન
૦૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ, સક્રિય દર્દીઓનો આંક ૧૮૮ થયો
કુલ કેસનો આંક ૩૬૪૩ થયો, કોરોનાને પછડાટ આપી ૩૩૨૬ દર્દીઓ સાજા થયા
પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના નવા ૨૫ કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૩૬૪૩ થવા પામી છે. ૦૫ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓ ૧૮૮ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી ૧૬ કેસો મળી આવ્યા છે. જે પૈકી ગોધરામાંથી ૦૯ અને હાલોલમાંથી ૦૭ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૨૬૬૩ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં મળેલા કેસોની વિગતો જોઈએ તો ગોધરા ગ્રામ્યમાંથી ૦૩ કેસ, હાલોલ ગ્રામ્યમાંથી ૦૧ કેસ, ઘોઘમ્બા ગ્રામ્યમાંથી ૦૧, કાલોલ ગ્રામ્યમાંથી ૦૨, શહેરા ગ્રામ્યમાંથી ૦૧ અને મોરવા હડફ ગ્રામ્યમાંથી ૦૧ કેસ એમ ગ્રામ્ય વિસ્તારોમાંથી કુલ ૦૯ કેસો મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૦૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૩૩૨૬ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૮૮ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.