નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર મા લવાયા
નસવાડીના વઘાચ ગામ પાસે બે બાઇકો વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માતમાં એક બાઈક સવારનું મૃત્યુ નીપજ્યું હતું અને એ બે બાઈક સવારોને ગંભીર ઇજાઓ થતા નસવાડી સરકારી દવાખાને 108 એમ્બ્યુલન્સ માં સારવાર અર્થે લાવવમાં આવ્યા હતા અને ત્યાં જોતા જાણવા મળ્યું કે દર્દીઓને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના કારણે વડોદરા ખાતે રીફર કરવા માટે જણાવવામાં આવ્યું હતું તે દરમિયાન એમ્બ્યુલન્સ ના ડ્રાયવર સ્થળ ઓર હાજર ના હોવાના કારણે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો ત્યાર બાદ તાત્કાલિક એમ્બ્યુલન્સના ડ્રાયવરને બોલાવીને વડોદરા ખાતે રીફર કરાયા હતા નસવાડી તાલુકામાં વારંવાર અકસ્માત ના બનાવો બનતા હોય છે પરંતુ દવાખાના માં સુવિધાના અભાવે ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે અને સમયસર તાત્કાલિક સારવાર ના મળવાથી લોકોને જીવ ગુમાવવો પડે છે અને આ બનાવ ના પગલે નસવાડી પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.