નર્મદા જીલ્લામાં ફરજ બજાવતા બે પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

L C B પી. આઇ. એ. એમ. પટેલ ની અમરેલી ખાતે જ્યારે S O G પી.આઇ. કે.ટી જાટ ની અમદાવાદ શહેર ખાતે બદલી કરાઈ

રાજ્ય સરકાર દ્વારા આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભા ની ચુંટણી ઓ યોજાવાની હોય ને સમગ્ર રાજ્ય ભર માંથી પોલીસ વિભાગ મા ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર ની બદલી નો ગંજીફો ચિપ્યો છે,જે અંતર્ગત નર્મદા જીલ્લા માંથી બે અઘિકારીઓ ની બદલી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા જીલ્લા મા લોકલ ક્રાઇમ બ્રાન્ચ માં પોલીસ ઇન્સ્પેક્ટર ની ફરજ બજાવતા એ. એમ. પટેલ ની અમરેલી જિલ્લા ખાતે બદલી નો હુકમ જારી કરવામાં આવેલ છે જ્યારે એસ. ઓ. જી.નાં પોલીસ ઇન્સ્પેક્ટર કે. ટી. જાટ ની બદલી અમદાવાદ શહેર ખાતે કરવામા આવી છે.

નર્મદા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ માં એ. એમ. પટેલ દ્વારા ખુબજ અગત્યની કામગીરી કરવામા આવી હતી, તેઓએ પોતાના સ્ટાફ ની મદદ થી અનેક ચોરીઓ ના ભેદ ઉકેલી ખાસ્સી એવી સફડતાં પ્રાપ્ત કરી હતી,આ ઊપરાંત હત્યા સહિત વિદેશી દારૂ ની હેરફેરી કરતા બૂટલેગરો ઉપર પણ લગામ લગાવી હતી. એસ. ઓ. જી.નાં પોલીસ ઇન્સ્પેક્ટર કે. ટી જાટે પણ પોતાની નર્મદા જીલ્લા ની ફરજ દરમ્યાન પ્રશંશનીય કામગીરી ફરજ રૂપે અદા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here