ધારાસભ્ય ચેતર વસાવાએ લડાઈ કાનૂની રીતે લડવી જોઈએ વેપારીઓ અને લોકોને હેરાન પરેશાન કેમ કરાઇ રહ્યા છે : સાંસદ મનસુખ વસાવા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લાની ડેડીયાપાડા વિધાનસભા ના ધારાસભ્ય ચૈતર વસાવા જંગલની જમીનોને લઈને વિવાદોમાં આવ્યા છે ત્યારે આ સમગ્ર પ્રકરણ મા આમ આદમી પાર્ટી અને ભાજપા સામ સામે તલવાર ખેંચી હોય એવું પ્રતિત થઈ રહ્યું છે. સાંસદ મનસુખ વસાવા પણ મેદાનમાં ઉતરી આવ્યા છે, તેઓએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જંગલની જમીન ને લઈને વિવાદ છે જમીનો લીગલ હોય કે ઈલ લીગલ ધારાસભ્ય ચૈતર વસાવા એ આ મામલે નિયમો અનુસાર રજૂઆત કરી સમગ્ર પ્રકરણનો હલ લાવવો જોઈ તો હતો. એના જગ્યાએ વન વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવી તેમને ધાક ધમકી આપી ફાયરિંગ કર્યો અને કાયદો હાથમાં લીધો જેથી વન વિભાગ એ પોલીસ ફરિયાદ કરી અને પોલીસે ફરિયાદ નોંધી . વન વિભાગના કર્મચારીઓને માર્યા એ બહુ જ ખોટું કહેવાય ચૈતર વસાવા ના પ્રકરણના મામલે ડેડીયાપાડા ના બજારો બંધ રાખવાના એલાનો અપાયા આમાં વેપારીઓ અને લોકોને અન્યાય થઈ રહ્યો છે . ધારાસભ્ય ચૈતર વસાવા એ પોતાની લડાઈ કાનુંની રીતે લડવી જોઈએ, વેપારીઓ અને લોકોને તકલીફો આપવી ન જોઈએ લોકો ડરના લીધે પોતાની દુકાનો બંધ રાખી રહ્યા છે.

ભાજપા વેપારીઓને દબાવવા નથી માંગતી પરંતુ ભાજપાના જ કેટલાક ફૂટેલા જે હોય એ વિધાનસભામાં ચૈત્ર વસાવાને મદદ કરી હતી ચેતન વસાવાને જીતાવવા માટે મદદ કરી હતી તે જ લોકો ડેડીયાપાડા બંધના એલાનને પણ ના લોકો જ સમર્થન આપી રહ્યા છે આમ કઈ ભાજપા ના કેટલાક લોકો ઉપર સાંસદ મનસુખ વસાવા એ આરોપો લગાડ્યા હતા અને ફૂટેલા ડુપ્લીકેટ લોકોને ખુલ્લા પાડવા જોઈએ ની વાત પત્રકારો સમક્ષ મૂકી હતી પાર્ટીમાં કોઈ દુશ્મન નથી પરંતુ દહીંમાં અને દૂધમાં પગ રાખનારા લોકો છે પાર્ટીને નુકસાન ન થાય પાર્ટીને બચાવવા સ્ટેટમેન્ટ આપી રહ્યો છું નુ પણ મનસુખ વસાવા એ જણાવ્યું હતું. અને ખૂબ જ દુઃખ સાથે જણાવ્યું હતું કે ભાજપાના જ લોકો ચૈતર વસાવાને મદદ કરી રહ્યા છે.

જે તે સમયે જ્યારે ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા એ જાહેરમાં ડિબેટ કરવાની મનસુખ વસાવાને ચેલેન્જ આપી હતી ત્યારે એ ઘટનાને યાદ કરતા સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખને ભાજપાના જ લોકોએ કહ્યું કે વાતાવરણ ડોળાસે ચૈતર વસાવા ભાજપામાં આવવાનો છે, પ્રદેશ ભાજપા પ્રમુખ સી આર પાટીલ પાસે પણ ચૈતર વસાવાને લઈ ગયા હોવાનું સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું અને વિશેષમાં જણાવ્યું હતું કે ચેતર વસાવા ભાજપા મા જોડાય એની સામે મારે કોઈ જ વાંધો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here