નર્મદા જિલ્લામાં ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા કુલ પોઝિટિવ દર્દીનો આંક 1693

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૮૨૪, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૮૧૦ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૫૯ દર્દીઓ પોઝિટિવ નોંધાયા

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 23 દરદીઓ ને રજા અપાઈ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૧૧ દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૧૩ દરદીઓ, હોમ આઇસોલેશનમા ૩૭ દરદીઓ, ભરૂચ ખાતે ૧ અને વડોદરા ખાતે ૫ દરદીઓ સહિત કુલ-૬૭ દરદીઓ સારવાર હેઠળ

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૧૬ મી ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૩ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૮ સહિત કુલ ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૮૨૪, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૮૧૦ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૫૯ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૧૬૯૩ નોંધાવા પામી છે.

આજરોજ જે 11 કેસો નોધાયા તેમા રાજપીપળા ના દોલતબજાર મા 2 , સેલંબા મા 4, સેવાડા મા 2, કેવડીયા કોલોની , વડીયા અને જીતનગર ખાતે એક એક પોઝિટિવ કેસ નો સમાવેશ થાય છે.

રાજપીપલાના કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૨ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧ દરદીને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૭૩૭ દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૮૮૬ દરદીઓ સહિત કુલ-૧૬૨૩ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૩૭ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૧૧ દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૧૩ દરદીઓ, ભરૂચ ખાતે ૧ અને વડોદરા ખાતે ૫ (પાંચ) દરદીઓ સહિત કુલ-૬૭ દરદી સારવાર હેઠળ છે.

RTPCR ટેસ્ટમાં ૪૦, ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૫ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૪૩૭ સહિત કુલ-૪૮૨ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here