નર્મદા જિલ્લામાં તા. ૨૭ રોજ RTPCR ટેસ્ટમાં વધુ ૩૩ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૭ સહિત કુલ-૪૦ પોઝિટિવ કેસ નોંધાયા

રાજપીપળા,(નર્મદા1) આશિક પઠાણ :-

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૮ દરદીઓને આજે રજા અપાઇ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૬૫ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૩૭, હોમ આઇસોલેશનમા ૧૧૪ દરદીઓ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૫૧ દરદીઓ સહિત કુલ-૨૬૭ દરદીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૪૫,૨૪૩ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૧૦૮ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી તા.૨૭ મી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ સાંજે ૬:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૩૩ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૭ સહિત કુલ-૪૦ પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૮ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા ૧૧૪ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૬૫ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૩૭ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૫૧ દરદીઓ સહિત કુલ-૨૬૭ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૪૯૬ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૧૭ સહિત કુલ-૧૫૧૩ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨૭ મી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૫,૨૪૩ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના-૩૬ દરદીઓ, તાવના-૩૩ દરદીઓ, ઝાડાના ૩૯ દરદીઓ સહિત કુલ-૧૦૮ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવ્યા હતા જેને સારવાર અપાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here