ધોરાજી,(રાજકોટ) રાજુભાઈ બગડા :-
બે વર્ષના વિરામ બાદ ફરી રાજ્ય સરકારે ગણેશ મહોત્સવની છૂટ આપતા ધોરાજીના વિવિધ વિસ્તારોમા ગણેશ મહોત્સવનો પ્રારંભ થયોહતો
ધોરાજીના સ્ટેશન રોડ ઉપર આવેલ મોજીલા ગણેશ મહોત્સવ મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં બહેનોએ ખૂબ જ મહેનત કરી ગણેશજીને સુંદર રીતે સજાવીને ગણેશ મહોત્સવનો પ્રારંભ કર્યો હતો જેમાં ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા દ્વારા ગણપતિ દાદાની આરતી કરવામાં આવી હતી અને પૂજાઅર્ચના કરી હતી મોજીલા મહોત્સવ મંડળના ભાઈઓ તથા ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ મહોત્સવ ખૂબ જ ધાર્મિક અને ઉત્સાહ સાથે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને દરરોજ ૭ દિવસ સુધી ગણેશ મહોત્સવના વિવિધ ઉત્સવ ઉજવાશે.