દાહોદ : અગાસવાણી CHC નું લોકાર્પણ અને મહુનળા અને સુરપુર ખાતે BSNL ટાવ૨નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

ધાનપુર, (દાહોદ)-મોહન બારીયા :-

આજરોજ તા. ૦૧/૧૧/૨૦૨૩ નાં બુધવારના રોજ સવા૨નાં ૧૦:૩૦ કલાકે અગાસવાણી CHC નું લોકાર્પણ અને ૧૨:૩૦ કલાકે મહુનળા અને સુરપુર ખાતે BSNL ટાવ૨નું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્ય કક્ષાના માનનીય મંત્રીશ્રી બચુભાઈ ખાબડ સાહેબ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદ સાસંદ શ્રીમાન જશવંતસિંહ ભાભોર સાહેબ અને દાહોદ જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમાન કરણસિંહ ડામોર સાહેબનાં ઓના વ૨દ હસ્તે ક૨વામાં આવ્યું હતું. આ સમયે ધાનપુર તાલુકાના જિલ્લા સભ્ય શ્રીઓ, તાલુકા સભ્ય શ્રીઓ, ભા૨તીય જનતા પાર્ટીના જિલ્લા હોદેદા૨શ્રીઓ, મંડળ હોદેદા૨શ્રીઓ, સ૨પંચ શ્રીઓ,તમામ મોરચાના હોદેદારો શ્રી ઓ, શક્તિ કેન્દ્રોનાં સંયોજક પ્રભારી શ્રીઓ,બુથ પ્રમુખ શ્રીઓ અને કાર્યકર મિત્રો હાજ૨ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here