તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ
તિલકવાડા તાલુકાના બુજેઠા આરોગ્ય કેન્દ્ર ખાતે વજેરીયા આરોગ્ય કેન્દ્ર ખાતે અને અગર આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના સામે રક્ષણ આપતી કોવિડ વેક્સિન કોરોના વોરિયર્સ આરોગ્ય કર્મચારીઓ ને આપવામાં આવી આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ અધિકારીઓ અને ડોકટર માંથી કોઈ પણ કર્મચારીઓને રસી લીધા બાદ તેની આડ અસર થઈ ન હતી.
મળતી માહિતી અનુસાર કોવિડ વેકસીન ના બીજા તબક્કામાં તિલકવાડા તાલુકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે 219 જેટલા કોરોના વોરિયર્સ કર્મચારીઓને રસીકરણ કરવામાં આવ્યું.
જેમાં તિલકવાડા તાલુકાના બૂંજેઠા આરોગ્ય કેન્દ્ર ખાતે 78 કોરોના વોરિયર્સ કર્મચારીઓને કોવિડ વેકસીન આપવામાં આવી જ્યારે વજેરીયા આરોગ્ય કેન્દ્ર ખાતે 73 કોરોના વોરિયર્સ કર્મચારીઓને કોવિડ વેક્સિન આપવામાં આવી જ્યારે અગર આરોગ્ય કેન્દ્ર ખાતે 68 કોરોના વોરિયર્સ કર્મચારીઓને કોવિડ વેકસીન આપવામાં આવી હતી આમ તિલકવાડા તાલુકાના ત્રણ આરોગ્ય કેન્દ્ર ખાતે કુલ 219 કોરોના વોરીયસ કર્મચારીઓને કોવિડ વેકસીન રસીકરણ આપવામાં આવી.