ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-
આજરોજ ડભોઇ તાલુકાની અકોટાદર નવી વસાહત નિ નિશાળ માં ફરજ બજાવતા શિક્ષક સ્વ.પ્રદીપકુમાર શનાભાઈ પટેલ નું અકાળે અવસાન થતાં તેઓના વારસદારને ડભોઇ મામલતદાર શ્રી ચિંતનભાઈ ચૌધરી નાઓના હસ્તે 7 લાખ ની સહાયનો ચેક ડભોઇ તાલુકા શિક્ષક મંડળી તરફથી આપવામાં આવ્યો જેમાં મંડળીના પ્રમુખ જૈમિન પટેલ,ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,મંડળીના મંત્રી કમલબાબુ સંઘના મંત્રી મહેન્દ્રસિંહ તથા તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.