છોટાઉદેપુર, ચારણ એસ વી :-
લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અંતર્ગત ભારતના ચૂંટણી પંચ દ્વારા ૨૧- છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગ માટે ખર્ચ નિરીક્ષકશ્રી સુમિત ગજભીયેની નિમણૂક કરવામાં આવી છે.
લોકસભા સામાન્ય ચુંટણી અનુસંધાને જાહેર જનતાને ચૂંટણી ખર્ચ સંદર્ભે કોઈપણ સમસ્યા હોય તો તેઓ ખર્ચ નિરીક્ષકશ્રી સુમિત ગજભીયેને સવારના ૧૦-૦૦ થી ૧૧-૦૦ કલાક દરમિયાન સર્કીટ હાઉસ, ઓબ્ઝર્વર કંટ્રોલરૂમ, છોટાઉદેપુર ખાતે મળી શકશે. આ ઉપરાંત મતદાતાઓ ખર્ચ નિરીક્ષકશ્રીના વ્યકિતગત મોબાઈલ નંબર ૮૧૬૦૪ ૭૦૬૧૨ અથવા મતદાતા ફરિયાદ નિવારણ ટેલીફોન નંબર – ૦૨૬૬૯-૨૯૯૨૬૧ ઉપર પણ તેમનો સંપર્ક કરી શકશે જેની સબંધિતોને નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.