છોટાઉદેપુર નગરના ઉમા સંસ્કાર ભવન ખાતે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ડોલોમાઈટ ઉદ્યોગને પડતી મુશ્કેલીઓ અંગે મિલ માલિકો તેમજ માઇન્સ ઓનરો સાથે બેઠક યોજી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગરના ઉમા સંસ્કાર ભવન ખાતે આજરોજ છોટાઉદેપુર પંથકના ઉદ્યોગપતિઓ સાથે લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થાના આગેવાનો એ ડોલોમાઈટ ઉદ્યોગ ને પડતી મુશ્કેલીઓ અને તેના નિરાકરણ માટે બેઠક યોજી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થા દ્વારા ગુજરાત સહીત સમગ્ર દેશમાં નાના ઉદ્યોગપતિઓ ને નડતી સમસ્યાઓને સરકાર સમક્ષ રજુ કરી તેના સુખદ નિવારણ માટે પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આજરોજ લઘુ ભારતી ઉદ્યોગ ના વિભાગ પ્રમુખ કુલભૂષણ ગુપ્તા તેમજ વિભાગ મંત્રી દિનેશભાઇ પટેલ ઉપસ્થિત રહી છોટાઉદેપુર જિલ્લાના ઉદ્યોગો ને નડતી સમસ્યા ઓ બાબતે ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરી હતી અને સરકાર સમક્ષ તેની રજૂઆત કરી નિકાલ લાવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here