છોટાઉદેપુર જિલ્લામાં ફરજ બજાવતા પ્રાથમિક વિભાગના શિક્ષકોને પોતાના વતનના જિલ્લામાં જવા મળે અને જિલ્લા ફેરબદલી તથા અરસપરસ બદલીની તક મળે તે માટે શિક્ષક સંઘ દ્વારા ઉચ્સ્તરે રજુઆત

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા 600 કરતા વધુ શિક્ષકોને પોતાના વતનના જિલ્લામાં જવા મળે અને જિલ્લા ફેરબદલી તથા અરસપરસ બદલીની તક મળે તે માટે છોટાઉદેપુર જિલ્લા શિક્ષક સંઘને રજુઆત કરી હતી. જેને ધ્યાને રાખી શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખને પત્ર લખી લેખિત રજુઆત કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ અંદાજીત 600 જેટલા શિક્ષકો રાજ્યના અન્ય જિલ્લાના છે. ચાલુ વર્ષના કેમ્પમાં તથા અગાઉના વર્ષોમાં થયેલ બદલી કેમ્પમાં ઘણા બધા શિક્ષકોને વતનના જિલ્લામાં જગ્યા ન હોય આજુબાજુના જિલ્લામાં જવા મજબુર થવું પડ્યું હતું. કેમ કે ઘણા બધા શિક્ષકો છેલ્લા 20 થી25 વર્ષથી વતનથી દૂરના જિલ્લાઓમાં 500 થી 600 કિલોમીટર દૂર નોકરી કરતા હોય પરિવાર તથા સામાજિક
જવાબદારીઓમાંથી અવરજવર કરવું મુશકેલ બને છે. વતનથી 200 થી 250 કિલોમીટર દૂર જિલ્લામાં બદલી કરાવેલ છે. આવા શિક્ષક મિત્રોની ફરીથી જિલ્લા ફેર બદલી તથા જિલ્લા અરસપરસ બદલીની બીજી વાર તક મળે તો તેઓ ભવિષ્યમાં પોતાના વતન જિલ્લામાં જઇ શકે. તે માટે માંગ કરી રહ્યા છે.
ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખને લેખિત પત્રમાં છોટાઉદેપુર સંઘ દ્વારા જણાવ્યું છે કે. શિક્ષણ વિભાગના તા 11/5/23ના ઠરાવ પહેલા વતનના જિલ્લાથી દૂર નોકરી કરતા પ્રાથમિક શિક્ષકો દ્વારા વતનના જિલ્લામાં જિલ્લા ફેર બદલી ઝડપી થતી ન હોવાથી નજીકના જિલ્લામાં જિલ્લા ફેર બદલીને અને અરસ પરસ બદલી કરવામા આવેલ હોય અને હાલ એ મુજબ ફરજ બજાવતા હોય તો તે તમામ શિક્ષકોને એક વખત વતનના જિલ્લામાં અરસ પરસ કે જિલ્લા ફેર બદલી કરવાની તક મળે અને નવા ઠરાવ પ્રમાણે 100% જિલ્લા ફેરની ખાલી જગ્યાઓનો લાભ મળે તે માટે સરકારમાં ઊચ્ચ કક્ષાએ રજુઆત કરવા માંગ કરી છે.
છોટાઉદેપુર જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક ભાઈ બહેનોને સમગ્ર નોકરી દરમ્યાન પોતાના વતનના જિલ્લામાં જવા મળે તેમાટે બીજીવાર જિલ્લા ફેર બદલી તથા અરસપરસ બદલીની તક મળે તે માટે શિક્ષકો માંગ કરી રહ્યા છે. ઉમર થતા ઘર પરિવાર નું ધ્યાન રાખવું ધરમાં વૃદ્ધ માતા પિતાને સાચવવા જેવી ઘણી બધી સમસ્યાથી શિક્ષકો ઘેરાયેલા હોય છે. જો. વતનમાં નજીક હોય તો પરિસ્થિતિને પોહચી વળાય તેમ છે. જેના કારણે પોતાના જિલ્લામાં બદલી થાય તો રિટાયરમેન્ટ. સુધી વતનનો લાભ મળે તો રાહત રહે.
પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં પણ અંદાજીત 600 જેટલા શિક્ષકો રાજ્યના અન્ય જિલ્લાના છે. ચાલુ વર્ષના કેમ્પમાં તથા અગાઉના વર્ષોમાં થયેલ બદલી કેમ્પમાં ઘણા બધા શિક્ષકોને વતનના જિલ્લામાં જગ્યા ન હોય આજુબાજુના જિલ્લામાં જવા મજબુર થવું પડ્યું હતું. કેમ કે ઘણા બધા શિક્ષકો છેલ્લા 20 થી25 વર્ષથી વતનથી દૂરના જિલ્લાઓમાં 500 થી 600 કિલોમીટર દૂર નોકરી કરતા હોય પરિવાર તથા સામાજિક જવાબદારીઓમાંથી અવરજવર કરવું મુશકેલ બને છે. વતનથી 200 થી 250 કિલોમીટર દૂર જિલ્લામાં બદલી કરાવેલ છે. આવા શિક્ષક મિત્રોની ફરીથી જિલ્લા ફેર બદલી તથા જિલ્લા અરસપરસ બદલીની બીજી વાર તક મળે તો તેઓ ભવિષ્યમાં પોતાના વતન જિલ્લામાં જઇ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here