કાલોલ,(પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-
કાલોલ તાલુકાના સમા ગામ નજીક નર્મદા કેનાલ પાસે આવેલ દેવછોટિયા મહારાજ ના મંદિરે બારમા પાટોત્સવ નિમિત્તે સુંદરકાંડ તેમજ લોક ડાયરો અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય ગાયક કલાકાર કમલેશ બારોટ તથા શૈલેષભાઇ ના મધુર સ્વરોમાં આશરે બે હજાર જેટલા ભક્તો ભક્તિના રંગ માં પુરી રાત તરબોળ થઈ ખૂબ મોજ કરી હતી.આ ડાયરા માં કાલોલ તાલુકા પ્રમુખ જયદેવસિંહ,માજી જિલ્લા પંચાયતના પ્રમુખ રાજપાલસિંહ જાદવ, એપીએમસીના ટીનાભાઈ તથા સંજ્યસિંહ રાઠોડ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલના અધ્યક્ષ વિનોદકુમાર અમીન સાથે કાલોલના રાજકીય નેતાઓ ની ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી કલાકારોને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. આ સમગ્ર આયોજન કાલોલ તાલુકા પંચાયત ના સદસ્ય ઉપેન્દ્રસિંહ મહોબ્બતસિંહ ચાવડા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.