અરવલ્લીના મોડાસા – ધનસુરા રોડ પર ત્રીપલ અકસ્માત સ્થળની જાત તપાસ કરતાં કલેકટર શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીના

મોડાસા,(અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લીના મોડાસા – ધનસુરા રોડ પર ત્રીપલ અકસ્માતની ઘટનામાં લોકોના મોતની આશંકાના સમાચાર મળતાં જિલ્લા કલેકટર શ્રી નરેન્દ્રકુમાર મીનાએ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી. જાત તપાસ કરી કલેકટર શ્રી એ યોગ્ય તપાસનાં નિર્દેશ આપ્યા. તેમને જણાવ્યું કે ઘટનામાં 2 લોકોના મોત થયા છે અને 2 લોકો ઈજાગ્રસ્ત છે.આગ પર 90% કાબૂ મેળવવામાં આવ્યો છે. બંને તરફનાં ટ્રાફીકને અન્ય રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

ઘટનાના સમાચાર મળતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી કામગીરી કરી. પોલીસ વડા , અને આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે હાજર. જિલ્લા અધિકારીઓએ સ્વયં ઘટનાસ્થળની મુલાકાત લઈ કામગીરી હાથ ધરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here