કાલોલ તાલુકાના અલીન્દ્રા ગામમાં (app) પાર્ટીની જન સંવેદના બેઠક યોજાઈ જેમાં પાર્ટીના પ્રમુખ ગોપાલભાઈ ઈટાલીયા અને ઈસુદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

અલીન્દ્રા ગામમાં રામનાથ સમ્બર્સીબલ પંપ  ફેક્ટરી ખાતે જન સંવેદના મુલાકાત  બેઠક યોજવામાં આવી જેમાં આમઆદમી પાર્ટીના પ્રમુખ ગોપાલભાઈ ઈટાલીયા અને ઈસુદાન ગઢવી  ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ અજયસિંહ ચૌહાણ જયેશભાઇ તેમજ હેમલતાબેન પ્રમુખ તેમજ લઘુમતી કાલોલ તાલુકા પ્રમુખ મુસ્તાકભાઈ શેખ વિગેરે  આમઆદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યાંમાં હાજર રહ્યા હતા. જેમાં નાગરિકના હકો શું છે અને સરકાર કેવી રીતે  મોંઘવારી મારથી જનતાની પરિસ્થિતિ બગાડી રહી છે. સરકાર દ્વારા જનતાને ધૂમરાહ કરી કેવી રીતે જનતાના પૈસાનો દૂર ઉપયોગ કરી રહી છે. તેમજ વિવિધ ટેક્સ રૂપે જનતાને આર્થિક રીતે લૂંટી તેનો દુરુપયોગ કરી રહી છે તે જણાવ્યું હતું. હવે ભારતીય જનતા પાર્ટી ને દૂર કરી આમ આદમી  પાર્ટીને સરકાર બનાવવા વિશે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here