કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
ગુરુવાર ના રોજ ગોવર્ધનનાથજી હવેલીમાં પ.પુ.પા ગો ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રી ના પાવન સાનિધ્ય મા બહોળી સંખયામા કાલોલ ના બાળકો ,યુવાનો કુલ મળી ૩૩ વૈષ્ણવોએ બ્રહ્મસંબંધ દીક્ષા પ્રાપ્ત કરી અને જીવન ની ધન્યતા અનુભવી .ત્યાર બાદ પુજ્ય શ્રી ધ્વારા દરેક દીક્ષાર્થી ને ઉપરણા ઓઢાવી આશીર્વાદ આપવામા આવ્યા હતા.આ સમગ્ર કાયૅક્રમ ને સફળ બનાવવા શ્રી ગોવર્ધનનાથજી હવેલી ના અધિકારીજી એવમ મંદિર મંડળના સર્વે યુવા કાયૅકતાઓ એ જહેમત ઊઠાવી હતી.