કવાંટ, (છોટાઉદેપુર) સરફરાઝ પઠાણ (ડભોઇ) :-
છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં આજરોજ સરકારી દવાખાના ખાતે ડાયાલિસિસ સેન્ટર નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓને કિડની ની તકલીફો હોય, શરિરમાં સોજા ચડી જતા હોય છે. દર્દીના શરીરના રુધિરના દ્રવ્યો બરાબર માત્રામાં ગાળા ન થવાથી ડાયાલિસિસ ની જરૂર પડતી હોય છે. જેમાં દર્દીના શરીરમાં રહેલા રુધિર ને એક તરફથી નીકળી તેને મશિનમાં સુધ કરી ફરી તેને ધમની મારફતે શરિરમાં દાખલ કરવામાં આવે છે. આ તકલીફ ધરાવતા જે દર્દીઓને હોય છે તેઓને છોટાઉદેપુર કે વડોદરા ના હોસ્પિટલો ના ધરમધકકા ખાવા પડતા હતા. પરંતુ હવે કવાંટ સરકારી દવાખાના ખાતે ડાયાલિસિસ સેન્ટર ચાલુ થતાં તેઓને વહેલા તકે અને ખુબ સારી સુવિધાઓ સાથે તેઓની બિમારીનો ઇલાજ હવે નજીકમાં જ મળી શકશે. તેવા ઉપદેશની સાથે સરકારી દવાખાના માં આ ડાયાલિસિસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.જેમાં બે ડાયાલિસિસ મશીન અને ત્રણ બેડ ની સુવિધા કરવામાં આવી છે.જેને લઇ કવાંટ અને આસપાસ ના વિસ્તાર માં ખુશીની લહેર જોવા મળી હતી.