ઊંડેરા ગામની ચારો તરફના રોડ પર વિકાસના નામે નાગરિકોને હાલાકી

વડોદરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

કોન્ટ્રાક્ટરો ના ફાયદા માટે સમગ્ર વિસ્તાર ને બાન માં લેતા સત્તાધીશો

વડોદરા શહેર મા જમીનો પૂરી થતાં આજુબાજુ ના ગામો ની જમીનો ૬૦ * ૪૦ ના રેસ્યો થી લેવા ની લાલચ મા ને બિલ્ડરો ને ઘી કેળા મળે તેવા આશય થી નવા સમાવેલ ગામો માં ગટર, પાણી ની લાઈનો નાખવા નું કાર્ય પુરજોશમાં ચાલુ છે
આ સંદર્ભમાં જોગેશ્વરી મહારાઉલ દ્વારા એક નિવેદન માં જણાવવા માં આવ્યું કે આ સમગ્ર વિસ્તાર ને TP જાહેર કર્યા વિના કે આ વિસ્તાર ના કોઈ પણ ખેડૂત ને ફાઇનલ પ્લોટ આપ્યા સિવાય શરૂ કરી આખા ઊંડેરા ગામ સહિત મુખ્ય માર્ગો પર મોટી લાઈનો નાખવા નું કાર્ય કોઈ પણ જાત ની સલામતી સિવાય થઈ રહ્યું છે…જેના કારણે મૂળ ઊંડેરા ગામ ના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. સત્તાધીશો દ્વારા ટી. પી જાહેર કરી ખેડૂતો ને ફાઇનલ પ્લોટ આપી જે તે કાર્યો કરવા જોઈએ જ્યારે અહી ઊલટી ગંગા વહાવે છે

સદર રોડ ના કોન્ટ્રાક્ટરની અને સત્તાધીશો ની મીલીભગત ના કારણે જાહેર જનતા મુશ્કેલીમાં મુકાઈ ગયેલ છે.આ રોડ ,રસ્તા ઓ ઉપર કોઈ પણ જાતના ભયસૂચક બોર્ડ કે સલામતી ની જોગવાઇ નું પાલન કરેલ નથી અને કરોડો રૂપિયા ના કોન્ટ્રાકટ હોવા છતાં કોઈ એમ્બ્યુલન્સ કે ફસ્ટ એડ ટ્રીટમેન્ટ માટે કોઈ જોગવાઈ નથી.
તમામ રસ્તા એક સાથે ખોદી નાખતા જનતા ને પારાવાર ટ્રાફિક જામ માં ફસવવું પડે છે અને કોઈ ટ્રાફિક સંચાલન ની વ્યવસ્થા પણ નથી..શું સત્તાધીશો હરણી બોટ કાંડ જેવી કોઈ બીજી ઘટના ની રાહ જોઈ રહ્યા છે કે આવી ગમખ્વાર ઘટના થશે તો જ કુંભકર્ણ નિંદ્રા થી જાગશે.

આ વિસ્તાર અસંખ્ય કંપની ગામો સહિત અનેક સ્કૂલો થી ઘેરાયેલો હોઈ કંપની નો તથા સ્કૂલો નો સમય એક થવા થી ટ્રાફિક જામ થાય છે અને રોજ સંખ્યાબંધ લોકો અકસ્માત નો ભોગ બને છે. આગામી દિવસો માં બોર્ડ ની પરીક્ષા હોઈ વિદ્યાર્થી ઓને રામભરોસે રાખતા સત્તાધીશો શાન માં સમજે નહિ તો આ વિસ્તાર માં વિરોધ ના વંટોળ આવતા વાર નહિ લાગે જેની ગંભીતાપૂર્વક નોધ લેવી

તમામ રસ્તા ઉપર ખુબજ ધૂળ ઊડતી હોઈ અને રસ્તા ઉપર માટી ના ટેકરા હોઈ વાહનચાલકો ને હેરાનગતિ થાય છે જે યોગ્ય થવું જોઈએ…

સદર કોન્ટ્રાક્ટર ને વારંવાર મોખિક કહેવા છતાં આ વિસ્તારમાં ગોકળ ગતિ એ કામ ચલાવી જાહેર જનતા ને બાન માં લીધી છે.અને ગામ ના અંદર ના રોડ માં પાઇપલાઇન નાખી માત્ર માટી પૂરાં કરી છોડી દીધેલ છે જે આવનાર ચોમાસા ની ઋતુ માં ગમખ્વાર અકસ્માત ને તેડાં સમાન છે. જો કોઈ પણ અકસ્માત આ કારણે થશે તો તેની ખર્ચ સહિત ની સંપૂર્ણ જવાબદારી સંબંધી સત્તાધીશો સહિત કોન્ટ્રાક્ટરની રહેશે.

આ રોડ વિવિધ કોન્ટ્રાકટર ને આપેલા હોઈ બાય બાય ચારની વાળો યોગ થતો હોઈ જેથી યોગ્ય સત્તાધીશો ઊંડેરા ગામ ની પોતે મુલાકાત લે અને જાત નિરીક્ષણ કરી આ સમગ્ર વિસ્તાર ના નાગરિકો ને બાન માંથી મુક્ત કરાવે તેવી આ વિસ્તાર ના તમામ નાગરિકો ની લાગણી સહ માંગણી છે અન્યથા આ રોડ ઉપર કરવા માં આવતી ગેરરીતિ અને કોન્ટ્રાકટ જોગવાઈ વિરૂદ્ધ થતાં કામો ના લીધે સદર રોડ રસ્તા ના કામો ઉપર બ્રેક મારવા સહિત ઊચ્ચ કક્ષા એ રજુઆત સાથે નાગરિકો ના જાહેર હિત માં કાયદેસર કાર્યવાહી કરવા ની જોગેશ્વરી મહારાઉલ દ્વારા ચીમકી ઉચ્ચારવા માં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here