કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-
કાલોલ શહેર અને કાલોલ તાલુકામાં હાલ કોરોનાના કેસો મોટા પ્રમાણમા ઇજાફો થહી રહ્યો છે તેમજ સંક્રમણમા પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખતા આજ રોજ બુધવારે મામલતદાર ઓફીસે વિનામૂલ્યે આરટી પીસીઆર ટેસ્ટિંગનો પોગ્રામ રાખવામા આવેલ જેમાં મામલતદાર સાહેબ નાયબ મામલતદાર સાહેબ અને ઈ ધારા મામલતદાર સાહેબ તેમજ મામલતદાર કચેરી સ્ટાફ સહીત એક વાગ્યા સુધી 54 ની સંખ્યામાં આરટી પીસીઆર ટેસ્ટિંગ કરવામાં આવ્યો હતો. હાલની પરિસ્થિતિને જોતા કાલોલ મામલતદાર સાહેબ અને નાયબ મામલતદાર સાહેબ કોઈ રિસ્ક લેવા માગતા નથી રસીકરણ કેમ્પ હોય કે આરટી પીસીઆર ટેસ્ટિંગ પોગ્રામ હોય જેને લઈને કોઈ ચૂક કરવા માગતા નથી.જેને જોતા ખુબ જવાબદારીપૂર્વક કામ પણ નિહાળી રહ્યા છે.