કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા
કાલોલ અને સમગ્ર તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે ગત રવિવારના રોજ રાત્રે કાલોલ તાલુકાના તરવડા ગામમાં આવેલ કરડ માઈનોર કેનાલના નજીક એક ઘર ઉપર ઝાડ પડવાના કારણે ભારે નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે નાયક અર્જુનભાઈ લક્ષ્મણ ભાઈના ઘર ઉપર વૃક્ષ પડતા મોટું નુકસાન થયું છે જેની જાણ સરપંચ તથા તલાટીને કરતા પંચકયાસ કરીને સરકાર પાસેથી યોગ્ય વળતર અંગેની કાર્યવાહી હાથ ધરવાના હોવાનું જાણવા મળેલ છે.