કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા
કાલોલ શહેરમાં મંગળવારે સાંજે વધુ એક વેપારી કોરોના સંક્રમણથી પ્રભાવિત બનતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો. શહેરમાં રવિવારે પોઝીટીવ બનેલા અસરગ્રસ્ત ગાંધી ફળીયા સામે આવેલા મહાદેવ ફળિયામાં રહેતા અને ડેરોલસ્ટેશન ખાતે પશુઆહારની દુકાન ધરાવતા વિકાસ ચંદ્રવદન શાહ (ઉ.વ ૫૩)ને તાજેતરમાં તેમની નજીકમાં જ આવેલા ગાંધી ફળિયામાં પોઝીટીવ કેસને પગલે તંત્રના સર્વે દરમિયાન શરદી-ખાંસીથી પ્રભાવિત બનેલા આ વેપારીનો પણ કોરોના સેમ્પલ લઈને તાજપુરા ખાતે કવેરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત મંગળવારે સાંજે તેમનો કોરોના સેમ્પલનો રિપોર્ટ પોઝીટીવ ઉજાગર થયો હતો. જેથી વેપારીને કોરોના સારવાર અર્થે તાજપુરા ખાતેની કોરોના હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ સાથે કાલોલ શહેરમાં બે દિવસમાં વધુ બે કોરોના કેસો વધતા કુલ ૨૮ કેસો સાથે ૩ મોત, ૧૧ ડિસ્ચાર્જ મુજબ હાલમાં ૧૪ જેટલા કોરોના પ્રભાવિત દર્દીઓ સારવાર હેઠળ હોવાનું તંત્રએ જણાવ્યું હતું.