કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
કાલોલ તાલુકાના સણશોલી ગામના મહાદેવ ફળિયામાં રહેતા અને સ્ટેસનરીની દુકાન ધરાવતા લકવાગ્રસ્ત વૃદ્ધ પ્રદીપકુમાર કેશવલાલ શાહે પોતાની ફરિયાદ નોંધાવી જણાવેલ છે કે તેઓ પોતે લકવાગ્રસ્ત હોય ધીમે ધીમે ચાલી શકે છે તથા તેઓને બોલવામાં તકલીફ થતી હોય તોતડું બોલે છે જેને કારણે તેઓ ના પડોશીઓ અવારનવાર તેઓની મસ્કરી કરે છે. તેઓએ આમ ન કરવાનું કહેતા ઉશ્કેરાઇ જઇને કૃણાલભાઈ ઠાકોરભાઈ કનોજીયા તથા બીજા ભેગા મળીને તેઓને નીચે પાડી દઈ ગડદા પાટુ નો માર માર્યો કૃણાલે હાથમાંનું કડું મારતા કપાળમાં ઈજાઓ પહોંચી પ્રદીપભાઈ નો છોકરો જયકુમાર છોડાવવા વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. જ્યારે હેમાબને આવી ને હવે પછી થી જો આ રસ્તે થી જશો તો જાન થી મારી નાંખીશું એવી ધમકી આપી હતી. જે અંગે તેઓએ કૃણાલ કનોજીયાં તથા અક્ષય ગજાનંદ કનોજીયા, નિલેશ ઠાકોરભાઈ કાનોજીયા, કનોજીયા હેમાબેન ગજાનંદ કનોજીયા , ગીતાબેન ઠાકોરભાઈ કનોજીયા એમ કુલ પાંચ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ સણસોલી આઉટ પોસ્ટ ના અશ્વિનભાઈએ હાથ ધરી છે