કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
શ્રી ઔદીચ્ય ટોળક બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ કાલોલના પ્રમુખ રિતેશભાઈ પંડ્યાના જણાવ્યા અનુસાર છેલ્લા 20 વર્ષથી શ્રી ઔદીચ્ય ટોળક બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ કાલોલના જ્ઞાતિજનોનો વાર્ષિક સ્નેહમિલન સમારંભ શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરે યોજાય છે જે આ વખતે તા.20 નવેમ્બરના રોજ રવિવારે રાખેલ છે જેમાં માતાજીનો નવચંડી યજ્ઞ સાથે સમાજના સિનિયર સિટીઝનોનું,નિવૃત્ત કર્મચારીઓ,તેજસ્વી વદ્યાર્થીઓનું સન્માન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દિવસ દરમ્યાન યોજાનાર છે જેમાં કાલોલ ઉપરાંત દેશ વિદેશમાં અન્ય સ્થળે રહેતા સમાજના જ્ઞાતિજનો ઉપસ્થિત રહેશે.