રાજપીપળા, (નર્મદા) આંશિક પઠાણ :-
ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાના અઘ્યક્ષસ્થાને પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણ નિવારણ થીમ પર વિશ્વ પર્યવરણ દિન ની ઉજવણી કરાશે
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને અનુલક્ષીને ૫ મી જૂને ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાના અઘ્યક્ષસ્થાને પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણ નિવારણ થીમ અંતર્ગત રાજપીપલા ભ્રમપુત્ર હોસ્ટેલ વડીયા પેલેસ કેમ્પસ ખાતે સવારે ૯:૩૦ કલાકે નર્મદા વન વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના પર્યાવરણ દિનની ઉજવણીને અનુલક્ષીને કાર્યક્રમ યોજાશે.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરીને પર્યાવરણના જતન માટે લોકસંદેશો આપવામાં આવશે.