રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા લેવાયેલી બી.કોમ.સેમેસ્ટર 6 ની પરીક્ષા માં રાજપીપળા ની શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજની વિદ્યાર્થિની યાદવ સંજનાએ બેન્કિંગ વિષયમાં યુનિવર્સિટીમાં સૌથી વધારે માર્કસ મેળવી કોલેજ નું ગૌરવ વધાર્યું છે. કોલેજના આચાર્ય ડો. હિતેશ ગાંધી અને સમગ્ર સ્ટાફ પરિવારે તેને અભિનંદન પાઠવ્યા હતા.