રાજપીપળા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ડોક્ટર નિખિલ મહેતાની પેનલનો ભવ્ય વિજય

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પેનલના તમામે તમામ 11 ઉમેદવારો વિજેતા નીવળ્યા

બેંકના પૂર્વ ચેરમેન અને એમ. ડી. વિક્રમ મલાવ્યા સહિત પંકજ વ્યાસ, પંકિલ પટેલ શહીત કિરણ પંડ્યા નો પરાજય

સામાન્ય વિભાગની આઠ બેઠકો મહિલા અનામતની બે બેઠક તેમજ એસસી એસટી વિભાગની એક અનામત બેઠક ઉપર ડોક્ટર નિખિલ મહેતા ની પેનલનો વિજય દરબાર

રાજપીપલા નાગરિક સહકારી બેંક ના સંચાલક મંડળની ચૂંટણી યોજાઈ હતી જેમાં મતગણતરી ગતરોજ મોડી સાંજના હાથ ધરવામાં આવતા ચૂંટણી રસાકસીપૂર્ણ બનશે એની અટકણો ઉપર બ્રેક લાગી હતી અને આ ચૂંટણી વન સાઈડ બની હતી , ચૂંટણીમાં ડોક્ટર નિખિલ મહેતાની પેનલના તમામે તમામ 11 ઉમેદવારો વિજયી નિવડ્યા હતા, જ્યારે તેઓના પ્રતિસ્પર્ધી વિક્રમ મલાવ્યા ની સૂચિત પેનલના તમામ ઉમેદવારોનો કારમો પરાજય થયો હતો.

નાગરિક સહકારી બેંકની આર સામાન્ય બેઠકો બે સ્ત્રી અનામત બેઠકો અને એક એસ.ટી.એસ.સી વિભાગની અનામત બેઠક મળી કુલ 11 બેઠકોની ચૂંટણી તારીખ 26 મીના રોજ યોજાઇ હતી જેને મતગણતરી સાંજે બેંકના સભાખંડ ખાતે હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રથમ રાઊંડ થીજ મતગણનામા દગો રહ્યો હતો સૌપ્રથમ મહિલા અનામતની બે બેઠકોના પરિણામો જાહેર થતાં ડોક્ટર નિખિલ મહેતાની પેનલના જિજ્ઞાસાબેન રાજેન્દ્રભાઈ પટેલ ને 1974 મત પ્રાપ્ત થયા હતા. જ્યારે કલ્પનાબેન કે પટેલ ને 1700 મત પ્રાપ્ત થયા હતા જેથી તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, મહિલા બેઠકો પર ચૂંટણી લડતા વૈભવીબેન શાહને 1301 અને જ્યોતિબેન સથવારા ને 899 મત પ્રાપ્ત થયા હતા.

બીજું પરિણામ એસસી એસટી અનામત બેઠકનો જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં નાગરિક સહકારી બેંકના પુર્વ ડિરેક્ટર વીરસીંગભાઇ તડવી અને ડોક્ટર નૈસત પરમાર વચ્ચે ખરા-ખરીનો જંગ જોવા મળ્યો હતો 1522 મત પ્રાપ્ત થયા હતા જ્યારે વીરસિંગ ભાઈ તડવી ને 1492 મત મળતા માત્ર 30 મતે વિજય થયો હતો.

સામાન્ય વિભાગની આઠ બેઠકોનો પરિણામ મધ્યરાત્રીએ 12 વાગ્યા પછી જાહેર થયું હતું જેમાં ડોક્ટર નિખિલ મહેતાની પેનલના તમામે તમામ આઠ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો ડોક્ટર નિખિલ મહેતાને 2433 મત ડોક્ટર સમીર મહેતાને 2366 મત તેજસભાઈ ગાંધીને 2223 મત મનહરભાઈ માલીને 2154 મત અમિતભાઈ ગાંધીને 2038 મત હરેશભાઈ ગાંધીને 1967 મત ધર્મેશભાઈ પંડ્યાને 1851 મત અને પદ્મકાંત કાચા અને 1841 મત મળતા આ તમામ આઠ ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. બેંકના પૂર્વ ચેરમેન તેમજ એમડી રહી ચૂકેલા પંકજભાઈ વ્યાસ ને 1581 મત પાંકીલ ભાઈ પટેલને 1474 મત વિક્રમભાઈ મલવ્યા ને 1211 મત અને કિરણ પંડ્યાને 1027 મત મળતા તેઓનો પરાજય થયો હતો.

રાજપીપલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં શું પરિણામ આવશે ?? તેના પર સભાસદો સહિત નગરજનો ની મીટ મન્ડાઈ હતી બેંકના વહીવટમાં લાખો રૂપિયાનો ગેરરીતી પૂર્ણ વહીવટ કરવામાં આવતો હોવાનો બેંકના પૂર્વ ડિરેક્ટર ચેરમેન વિક્રમ મલાવ્યા આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે ત્યારે આ પરિણામ શું આવશે તેના પર સૌની નજર મંડાઇ હતી, પરંતુ વિક્રમભાઈ મલાવ્યા ના આરોપો ઉપર સભાસદો એ વિશ્વાસ નહીં મૂકી ડોક્ટર નિખિલ મહેતા ના આગેવાની હેઠળ ની પેનલ ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકી તેમના સુચારું વહીવટને પસંદ કર્યા હોવાનો આ પરિણામ ઉપર થી સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે, સભાસદો એ વિક્રમ મલાવ્યા ના તમામ આરોપો ને નકાર્યા હોવાનું પણ સ્પષ્ટપણે જણાઈ આવતા હવે બેંકનું વહીવટ નિર્વિવાદ પણે ચાલે એવી બેંકના સભાસદો વિજેતા બનેલા તમામ ડિરેક્ટરો પાસેથી આશાવાદ સેવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here