શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-
માનનીય પ્રધાનમંત્રી શ્રી ની ઉપસ્થિતિમાં આદિજાતિ મહાસંમેલન તારીખ ૨૦/૦૪/૨૦૨૨ના રોજ આયોજન દાહોદ ખાતે રાખવામાં આવેલ છે જેના ભાગરૂપે તાલુકા વિકાસ અધિકારીશ્રી શહેરા મામલતદાર શ્રી શહેરા તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી સી,ડી,પી,ઓ, ઘટક ૧,૨ હાજર રહી કાર્યક્રમ અંગે નું માર્ગદર્શન આપેલ હતું.જેમાં આશાવર્કર,આંગણવાડી કાર્યકર આરોગ્ય કર્મચારીઓ, તલાટી ક્રમ મંત્રીઓ, શિક્ષકો,મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.જેમની તાલુકા રૂટ મુજ તલાટી ક્રમ મંત્રી સ્ટાફ ની મિટિંગ નગરપાલિકા મિટિંગ હોલ શહેરા ખાતે રાખવામાં આવી હતી.અને જેની અંદર ઉપસ્થિત તમામને આ સંદર્ભે દરેક કર્મચારી ને કામગીરી ની વિસ્તૃત સમજ આપવામાં આવી..આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે તેજસ પટેલ મ,તા,વી, કિરણ સોલંકી મ,તા,વી,તથા મહેન્દ્ર ભાઈ ડામોર વિસ્તરણ અધિકારી તથા કેળવણી નિરીક્ષક સરદાર ભાઈ વણઝારા જેમને ભારે જેહમત ઉઠાવી અને મીટીંગનું સફળ આયોજન પૂર્ણ કરી મિટિંગમાં ઉપસ્થિત સૌ નો આભાર વ્યક્ત કરીને મિટિંગ પૂર્ણ કરી હતી.