ભારતીય હવાઈદળમાં જોડાવા ઈચ્છુક યુવાનો માટે સારી તક…

ગોધરા,(પંચમહાલ)
સાદીક ચાંદા

વડોદરા ખાતે ૨૩મી સપ્ટેમ્બરથી ૦૪ ઓક્ટોબર સુધી એરફોર્સ ભરતી મેળો યોજાશે ૧૦મી સપ્ટેમ્બર સુધી પ્રિ-રજિસ્ટ્રેશન કરવાનું રહેશે

ભારતીય હવાઈદળમાં જોડાવા ઈચ્છતા જિલ્લાના યુવાનો માટે એક સારા ખબર છે. આગામી તા. ૨૩/૦૯/૨૦૨૦થી તા. ૦૪/૧૦/૨૦૨૦ દરમિયાન વડોદરા ખાતે ભારતીય હવાઈદળમાં એરમેન ગ્રુપ ‘વાય’ની વિવિધ જગ્યાઓ માટે એરફોર્સ ભરતી મેળો યોજાશે. મકરપુરા વિસ્તારના કેન્દ્રિય વિદ્યાલય ખાતે યોજાનાર આ ભરતીમેળામાં તા. ૧૭/૦૧/૨૦૦૦થી તા. ૩૦/૧૨/૨૦૦૩ (બંને દિવસો સહિત)ની વચ્ચે જન્મેલા અપરિણીત પુરૂષ ઉમેદવારો ભાગ લઈ શકે છે. ભરતીમાં ગ્રુપ ટ્રેડ “વાય” માટે (ઓટો ટેક, આઈએએફ (પી), આઈએએફ (એસ) અને મ્યુઝિશીયન સિવાયના ટ્રેડ માટે) અંગ્રેજી વિષય સાથે ધોરણ-૧૨ પાસ (કોઈ પણ પ્રવાહમાં સરેરાશ ૫૦ ટકા માર્ક સાથે) અને સમકક્ષ તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦ માર્ક હોવા જરૂરી છે. નોન ટેકનિકલ મેડિકલ આસિસ્ટન્ટ માટે ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ફિઝીક્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી અને અંગ્રેજી વિષય સાથે સરેરાશ ૫૦ ટકા સાથે પાસ અને અંગ્રેજી વિષયમાં ૫૦ માર્ક હોવા જરૂરી છે. ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ ઈન્ડિયન એરફોર્સની વેબસાઈટ www.airmenselection.cdac.in પર તા. ૦૮/૦૯/૨૦૨૦થી ૧૦/૦૯/૨૦૨૦ (બપોરે ૦૫.૦૦ વાગ્યા સુધી) પ્રિ-રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે વેબસાઈટ તથા જિલ્લા રોજગાર કચેરી, ગોધરાના હેલ્પલાઈન નંબર ૦૨૬૭૨-૨૪૧૪૦૫ પર સંપર્ક કરવા વિનંતિ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here