કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
આણંદ જિલ્લાના કરમસદ ખાતે આવેલ સંતરામવાડીમાં ચરોતર ભોઈ સેવા સમાજ દ્વારા ૨૪માં સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કાલોલ સહિત સમગ્ર ગુજરાતભરમાંથી ભોઈ સમાજના આગેવાનો, હોદ્દેદારો તથા સમાજના નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.ચરોતર ભોઈ સેવા સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં કુલ ૮ નવ યુગલો પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા હતાં ત્યારે નવયુગલોને આશીર્વાદ આપવા તથા આયોજક સર્વને પ્રોત્સાહિત કરવાના હેતુથી પંચમહાલ જિલ્લા ભોઈ સમાજ દ્વારા તેઓને સન્માનપત્ર આપી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.