નર્મદા ધારીખેડા સુગરના સફળ સંચાલક તરીકે સિલ્વર જયુબિલી પુરી કરનારા ઘનશ્યામભાઈ પટેલનું નર્મદા સહિત ભરૂચ જિલ્લામાં ઠેરઠેર થતુ અભિવાદન

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

સહકારી ક્ષેત્રના નર્મદા જિલ્લાના આગેવાન નર્મદા સુગર અને ભરૂચ દુધધારાના ચેરમેનનુ ગામડે ગામડે સ્વાગત થતાં ભાવવિભોર

નર્મદા સુગરની ચૂંટણી ગમે ત્યારે યોજાય ખેડુતોના સહયોગથી પોતાનો જ વિજય નિશ્રિંત : સુગર ચેરમેન ઘનશ્યામ પટેલ

કોરોનાની મહામારીને આગળ ધરી વિરોધી જુથ નર્મદા સુગરની ચૂંટણી ટલ્લે ચઢાવવા કટિબદ્ધ જયારે ચૂંટણીઓ યોજવા શાસક પક્ષ ગમે ત્યારે તૈયાર

નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી,( નર્મદા સુગર ) ના શાસક તરીકે પોતાની કારકિર્દીના 25 વર્ષ લાગલગાટ પુર્ણ કરનારા નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઇ જીવાભાઇ પટેલની નર્મદા જિલ્લા સહિત ભરૂચ જિલ્લામાં સહકારી આગેવાનોમા ગણના થાય છે, ખેડુતોમા ખ્યાતનામ હોય ને સુગરના ચેરમેન તરીકે ખુબજ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા હોય તેમની કામગીરીને બિરદાવવા નર્મદા જિલ્લા સહિત ભરૂચ જિલ્લામાં ઠેરઠેર ગામે ગામ તેમના સ્વાગતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
સહકારી ક્ષેત્રે વિશિષ્ટ નામનાં મેળવી ધારીખેડા સુગર અને ભરૂચ દુધધારાના ચેરમેનનો પદ વર્ષોથી શોભાયમાન કરી રહ્યા છે. તેમની કારકિર્દીના 25 વર્ષ પૂર્ણ થતા ખેડુતો,દૂધ ઉત્પાદકો, દૂધ મંડળીઓ, સહકારી મંડળીઓ દ્વારા ગામડે ગામડે સ્વાગત થતાં ભાવવિભોર પણ થઇ જતાં હોય છે.

નર્મદા સુગરની ચૂંટણી બાબતે પોતે હંમેશા ખેડુતોના હિતમાજ, સંસ્થાનો પણ વિકાસ થાય ખેડુતોને યોગ્ય ભાવ મળી રહે એ દિશામાં કાયમ પ્રયત્નશીલ રહેતા હોય છે, જેથી ગમે ત્યારે સુગર સંચાલક મંડળની ચૂંટણી યોજાય પોતાનો જ વિજય નિશ્રિંત માનતાં હોવાનું જણાવ્યું હતું.

નર્મદા સુગરની ચૂંટણી હંમેશા ઔપચારિકતા

નર્મદા સુગરની ચુંટણી યોજવા એક તરફ સત્તાધારી જૂથ કમર કસી રહ્યું છે તો બીજી બાજુ કોરોના મહામારીને લઈને હરીફ જૂથ ચૂંટણી પાછી ઠેલવા જીલ્લા રજીસ્ટ્રાર સહિત કલેક્ટર ને રજૂઆતો કરી રહ્યું છે.
હાલમાજ રાજ્ય સરકારે સહકારી મંડળીઓની ચુંટણીનો મામલો જે તે જિલ્લા કલેક્ટરોને હવાલે કર્યો છે. ચૂંટણી યોજવા મંડળીઓએ હવે જે તે જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવી પડશે. નર્મદા ધારીખેડા સુગરની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, સત્તા અને હરીફ જૂથ ચૂંટણી પ્રચાર પણ કરી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાની વટારીયા ગણેશ સુગર મિલની ચૂંટણી આગામી ઓક્ટોબર 2020 સુધી ન યોજવા ભરૂચ જિલ્લા કલેકટરે હુકમ કર્યો છે. નર્મદા જિલ્લા કલેકટર પોતાની સૂઝબૂઝથી શુ નિર્ણય લે છે તેના પર હવે નર્મદા સુગરની ચૂંટણી નિર્ભર છે.
પરંતુ આ તમામ વચ્ચે ઘનશ્યામ પટેલનુ પોતાનું ખેડુતો પર અડગ વિશ્રવાસ હોય ને માનવુ છે કે ચૂંટણીઓ ગમે ત્યારે યોજાય વિજય તો પોતાનો જ નિશ્રિંત છે.
અને ખરેખર બનતુ પણ એવું જ હોય છે છેલ્લા 25 વર્ષથી ચેરમેન પદે ઘનશ્યામ પટેલનુ એકચક્રી શાસન ચાલી રહ્યું છે, જાણે કે કોઈ પ્રતિસ્પર્ધી જ નહોય !!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here