નર્મદા જીલ્લાના લાછરસ ગામ ખાતે ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

11000 વૃક્ષો નુ વાવેતર શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ વન ખાતે કરાતાં અનેરો ઉત્સાહ

નર્મદા જિલ્લા ના લાછરસ ગામ ખાતે 11000 વૃક્ષો નું વૃક્ષારોપણ ની શરૂઆત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ના હસ્તે કરવામાં આવી હતી. જે પ્રસંગે તેઓ સાથે સાંસદ ગીતાબેન રાઠવા,સાંસદ મનસુખભાઇ વસાવા,નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રવક્તા ભરતભાઈ ડાંગર ,નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા,નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

લાછરસ ટંકારીયા રોડ ઉપર તૈયાર કરવામાં આવેલ આ વૃક્ષા રોપણ ના સથળ ને ડૉ . શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ વન નામ આપવામાં આવ્યું છે, ત્યારે આ સથળે વૃક્ષારોપણ કર્યા ભાજપા પ્રમુખે આનંદ ની લાગણી વયકત કરી હતી. સી.આર.પાટીલ સહિત ના ઉપસ્થિત તમામ મહાનુભાવો સહિત ભાજપા કાર્યકરો એ પણ વૃક્ષારોપણ કર્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here